આ વર્ષે અત્યાર સુધીમાં ઉતર ગુજરાતમાં માત્ર 29 ટકા જ વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ના વરસતા ખેડૂતો વર્ગમાં ચિંતા પ્રસરી છે. પાણીના અભાવે પાકનો નાશ થઈ રહ્યો છે. તો ટ્યુબવેલમાંતી પાણી આપવા માટે પુરતી વિજળી પણ ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં ખેડૂતોએ માંગ કરી છે કે ઉતર ગુજરાતમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકારે કેનાલોમાં સિચાઈ માટે પાણી છોડવુ જોઈએ. ટ્યુબવેલમાંથી પાકને પાણી આપવા માટે ઓછામાં ઓછા 10 કલાક એકધારી વિજળી આપવામાં આવે તો ખેડૂતોને રાહત થાય.