જમીન રી-સર્વે પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણા કરાવવા માગતા ખેડૂતો માટે ખુશખબર છે. કારણ કે હવે ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ મુદ્દત 31 ડિસેમ્બર 2019 સુધીની હતી. તેમાં વધારો કરીને હવે 31 માર્ચ 2020 સુધી મુદ્દત લંબાવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે પ્રમોલગેશન પછી જમીન રેકર્ડમાં થયેલી ક્ષતિ દૂર કરવા માટે અરજી કરવાની હોય છે. જો કે જાણકારીના અભાવે અરજદારો પર્યાપ્ત માત્રામાં અરજી કરી શક્યા ન હતા. જેના માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિદેશમાં રહેતા તથા બહાર ગામ રહેતાં ખેડૂતો નિયત સમયમાં અરજી ન કરી શકતા, તેમની માટે પણ મુદતમાં વધારો કરાયો છે. મુદ્દત વધારવા માટે અનેક ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. જેને લઈને મહેસૂલ વિભાગે નિર્ણય લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો