કોરોનાના કારણે દશેરાનો તહેવાર રહેશે ફીકો, ફાફડા-જલેબી ખાવા પર પ્રતિબંધ

દશેરાનો તહેવાર નજીક છે. ત્યારે આ વખતે ગુજરાતીઓ દુકાન બહાર ફાફડા જલેબીની લિજ્જત નહીં માણી શકે. કોરોનાની પરિસ્થિતીને જોતા દુકાન બહાર હવે ફાફડા જલેબી નહીં આરોગી શકાય. કોરોનાની વર્તમાન પરિસ્થિતીને જોતા દુકાનદારો દ્વારા પાર્સલ એટલે કે ટેક અવેની સુવિધા પર જ ભાર મુકાશે. કોરોના વાયરસને લઇ જનતાને જાગૃત કરવા દુકાનો બહાર ‘જ્યાં સુધી દવા નહીં […]

કોરોનાના કારણે દશેરાનો તહેવાર રહેશે ફીકો,  ફાફડા-જલેબી ખાવા પર પ્રતિબંધ
| Edited By: | Updated on: Oct 20, 2020 | 2:08 PM

દશેરાનો તહેવાર નજીક છે. ત્યારે આ વખતે ગુજરાતીઓ દુકાન બહાર ફાફડા જલેબીની લિજ્જત નહીં માણી શકે. કોરોનાની પરિસ્થિતીને જોતા દુકાન બહાર હવે ફાફડા જલેબી નહીં આરોગી શકાય. કોરોનાની વર્તમાન પરિસ્થિતીને જોતા દુકાનદારો દ્વારા પાર્સલ એટલે કે ટેક અવેની સુવિધા પર જ ભાર મુકાશે. કોરોના વાયરસને લઇ જનતાને જાગૃત કરવા દુકાનો બહાર ‘જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં’ લખેલા બેનરો પણ લગાવાશે.

 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સ્થિતીને જોતા પહેલેથી જ ગરબા આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણને કારણે દશેરાના તહેવાર પર હવે દુકાનો બહાર જનતાની ભીડ જોવા નહીં મળે. જોકે પાર્સલ એટલે કે ટેક અવેની સુવિધા ઉપલબ્ધ રહેશે. મહત્વનું છેકે દરવર્ષે ગુજરાતીઓ દશેરાના દિવસે કોરોડો રુપિયાના ફાફડા-જલેબી ખાતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:01 pm, Tue, 20 October 20