Dang: PM મોદીના નિવેદનની અસર, ગિરિમથક સાપૂતારામાં પ્રવાસીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરતા થયા

|

Jul 15, 2021 | 3:58 PM

હોટેલ સંચાલકો પણ સેનેટાઇઝ અને સફાઈમાં ખાસ ધ્યાન આપી સંક્રમણ ન ફેલાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

Dang: ઉત્તરાખંડના હિલ સ્ટેશનો ઉપર ઉમટી પડેલી સહેલાણીઓની ભીડ લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ ચિંતા વ્યક્ત કરી હતી જે બાદ આ મુદ્દે વડાપ્રધાન (PM Narendra Modi)ના નિવેદનને લઈને ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન (Saputara, Dang) ઉપર આવતા પ્રવાસીઓ અને હોટેલ સંચાલકો સજાગ બન્યા છે.

કેન્દ્રના આરોગ્ય વિભાગે પર્યટન સ્થળોએ થતી ભીડને લઈને ઉત્તરાખંડ સરકારને આપેલ સૂચન બાદ ઉત્તરાખંડ સરકારે પર્યટન સ્થળો માટે વિશેષ જાહેરનામું બહાર પાડી ભીડ નિયંત્રિત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા. હિલ સ્ટેશન ઉપર થતી ભીડ બાબતે ખુદ વડા પ્રધાને ચિંતા વ્યક્ત કરી લોકોને ત્રીજી લહેર માટે સજાગ થવા જણાવ્યું હતું.

જેની અસર રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા (Saputara) માં જોવા મળી છે. સાપુતારામાં હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ કોવિડ ગાઈડ લાઈન (Covid-19 Guidlines) નું પાલન કરતા કરતાં થયા છે. ખાસ કરીને લોકો ભીડ ન કરી માસ્ક પહેરી રાખે છે.

હોટેલ સંચાલકો પણ સેનેટાઇઝ અને સફાઈમાં ખાસ ધ્યાન આપી સંક્રમણ ન ફેલાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. સાપુતારામાં ટેબલ પોઇન્ટ (Table point) ઉપર સૌથી વધુ ભીડ હોય છે જ્યાં લોકો પ્રવાસીઓ એક બીજા થી સોશ્યલ ડિસ્ટન્સ (Social Distance) રાખી કુદરતી સૌંદર્યનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad : પાલડી પોલીસ મથકમાં જ પોલીસ કર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Next Video