
ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈને હાલ પરિસ્થિતિ વિકટ છે. ગામડાઓમાં લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે જેને લઈને દાહોદમાં પાણીને વેડફાટને લઈને એક નિર્ણય કરાયો છે. જેમાં પાણીનો બગાડ કરવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતના ઘણાં શહેરોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે અને તેના લીધે હવે પાણીનું મહત્ત્વ લોકોની સાથે તંત્રને પણ સમજાયું છે. દાહોદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે કે જે પણ પાણીનો બગાડ કરશે તેની સામે પગલાં લેવામાં આવશે. આટલું જ નહીં આર્થિક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં કોઈ પાણીનો વેડફાટ કરશે તેની સામે પ્રથમ વખત 250થી 300 રુપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો ફરીથી એ જ વ્યક્તિ જો પાણીનો વેડફાટ કરતાં પકડાશે તો તેમની સામે આકરા પગલાં રુપે નોટિસ વિના પાણીનું કનેકશન પણ કાપી નાખવામાં આવશે.
દાહોદના ગામડાઓમાં ખાસ કરીને પાણીને લઈને પરિસ્થિતિ વિકટ બની છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને આવા સમયે કોઈ પાણીનો વેડફાટ ન કરે તેના માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. દાહોદને પાણી કડાણા બંધ અને પાટા ડુંગરી નહેરમાંથી આપવામાં આવે છે અને ત્યાં પાણીનો જથ્થો ઓછો છે. આમ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]