દાહોદમાં કોરોના સંક્રમણ વકરતા હોળી-ધૂળેટીના મેળા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દાહોદમાં યોજાતા પરંપરાગત મેળા સૌ પ્રથમવાર યોજાશે નહીં. દાહોદ જિલ્લાના બજારો દર રવિવારે બંધ રહેશે. આ ઉપરાંત લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.