દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યે કરી આત્મહત્યા, સામૂહિક આત્મહત્યાનુ કારણ આર્થિક સંકડામણ હોવાનુ પ્રાથમિક અનુમાન

દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહીક આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. દાહોદના ગોધરા રોડ ઉપર આવેલા સુઝઈ બાગમાં રહેતા પરિવારે આત્મહત્યા કરી છે. પતિ, પત્નિ અને ત્રણ દિકરીઓએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દાહોદ પોલીસે આ પરિવારે આતમહત્યા પૂર્વે કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે કેમ તેની શોધખોળ હાથ […]

દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યે કરી આત્મહત્યા, સામૂહિક આત્મહત્યાનુ કારણ આર્થિક સંકડામણ હોવાનુ પ્રાથમિક અનુમાન
| Updated on: Sep 19, 2020 | 1:57 PM

દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહીક આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. દાહોદના ગોધરા રોડ ઉપર આવેલા સુઝઈ બાગમાં રહેતા પરિવારે આત્મહત્યા કરી છે. પતિ, પત્નિ અને ત્રણ દિકરીઓએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દાહોદ પોલીસે આ પરિવારે આતમહત્યા પૂર્વે કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે કેમ તેની શોધખોળ હાથ ધરી છે. તો બીજીબાજુ દાહોદ પોલીસે મૃતકોના મોબાઈલ ફોનમાં આવેલા ફોન અને મેસેજને લઈને પણ તપાસ કરી છે. મૃતક પરીવારના સબંધી, પડોશી અને મિત્રોને પુછપરછ કરીને આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયુ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકડામણને લઈને આ પરીવારે સામૂહીક આત્મહત્યા કરાઈ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 5:18 am, Fri, 4 September 20