ગુજરાતના દરિયાકાંઠેથી વાવાઝોડું તો ફંટાઈ ગયું છે પરંતુ ભારે તારાજી સર્જી ગયું છે. ગઈકાલે દરિયા કિનારે ઉછળેલા ઉંચા મોજા અને ભારે પવનના કારણે પોરબંદરના માધવપુરના 15થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ 2થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ મકાનોમાં રહેતા માછીમારોને વિશ્રામ ગૃહમાં આશ્રય આપવામાં આવેલો છે. માછીમારોની બોટો અને બોટોને ખેંચવાની મોટી લિફ્ટને પણ મોટું નુક્સાન થયું છે. જેથી માછીમારો અને બોટ એસોસિએશને સરકાર પાસે સહાયની માગ કરી છે.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, રાહત કમિશ્નરે આપી માહિતી, જુઓ VIDEO