‘વાયુ’ વાવાઝોડાના સંકટના પગલે વેરાવળ રેન્જની નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને ખસેડાયા છે. 13 જેટલા સિંહોને ઊંચાણવાળા સ્થાન પર ખસેડાયા છે. વાવાઝોડાની દહેશતને પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ આવવાની શક્યતાઓ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ થયું છે.
આ પણ વાંચોઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું
જેને પગલે સાસણ વિસ્તારમાં તમામ સિંહના લોકેશન ટ્રેક કરવામાં આવ્યા છે. સિંહોના સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને 24 કલાક હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ સાસણ વિસ્તારના તમામ સ્ટાફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો વન સંરક્ષકને પણ સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે.
ભારે પવન અને વરસાદની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા પણ વન વિભાગને સચેત રહેવા માટે કહેવાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 2:13 am, Wed, 12 June 19