Cyclone Tauktae Updates : વેરાવળ બંદર પર 39 વર્ષ બાદ 10 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવ્યું

|

May 17, 2021 | 4:00 PM

Cyclone Tauktae Updates : ગીરસોમનાથ જીલ્લામાં વાવાઝોડુ ત્રાટકવાની સંભવનાના પગલે જીલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

Cyclone Tauktae Updates : ગીરસોમનાથ જીલ્લામાં વાવાઝોડુ ત્રાટકવાની સંભવનાના પગલે જીલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ગીરસોમનાથ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાને પગલે બે NDRF ની ટીમો આવી પહોચી છે. એક ટીમ વેરાવળ અને બીજી ટીમ ઊના ખાતે સ્ટેન્ડબાય રખાઈ છે.

આધુનીક ઊપરકરણો તેમજ જરૂરી તમામ સુવીધા ઓ જે સંકટ સમયે જરૂર પડતી હોય તે તેમજ રાહત અને બચાવની કામગીર માટેના ઓજારો સહીતની એક ટીમે આજે અરબી સમુદ્ર તેમજ કીનારા પરના વીસ્તારોનું વહીવટી તંત્ર સાથે નીરીક્ષણ કર્યુ છે.

તાઉ તે વાવાઝોડાની અસરના પગલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતના અરવલ્લી સુધી હળવો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. દરિયામાં માછીમારી કરવા ગયેલી 1178 હોડીઓમાંથી મોટાભાગની હોડીઓને કિનારે લાંગરી દેવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

દીવમાં તાઉ તે વાવાઝોડાની અસરથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દીવ અને ઉના પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાનો ખતરો અને ભૂકંપના આંચકાથી લોકો ભયભીત હતા.

જો કે તંત્રએ દીવમાં NDRFની 2 ટીમો તૈનાત કરી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવી દીધુ છે કે જેથી કરીને કોઈ મુશ્કેલી ન ઉભી થાય. દીવની 1200 બોટ દરિયાકાંઠે લાંગરવામાં આવી છે અને બહારના જિલ્લામાંથી આવેલા માછીમારોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.

Next Video