Cyclone Tauktae Update : વાવાઝોડાને પગલે દીવમાં તંત્ર એલર્ટ પર, તમામ તૈયારીઓ પૂર્ણ

|

May 17, 2021 | 2:45 PM

Cyclone Tauktae Update : ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે

Cyclone Tauktae Update : ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું. દિવથી 180 કિમી હાલમાં દુર છે આ વાવાઝોડું. વાવાઝોડુ ટકરાશે ત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે તેની ઝડપ 185 કિમિ સુધી હોઈ શકે છે.

દીવમાં પણ તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. દિવમાં આર્મીની બે ટીમ સાંજ સુધી આવી પહોંચશે. આ સાથે જ દીવ ક્લેકટરે જણાવ્યું હતું કે, 100 પ્રતિ કીલોમીટરથી વધારે સ્પીડ હશે ત્યારે વીજળી બંધ કરી દેવામાં આવશે. હાલ દિવમાં 2 NDRF ટિમ સ્ટેન્ડ બાય પર રહેશે. તો બીજી દરિયામાં સાંજે 7 વાગ્યે વાવઝોડુ ટકરાઈ શકે છે.

નોંધનીય છે કે, છેલ્લા 6 કલાકથી આશરે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહયું છે. હાલમાં સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ આપવામાં આવ્યા છે જેને લઈને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી , ખેડા, પાટણમાં ભારે વરસાદ રહેશે.

દરિયાકાંઠાના દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRFની ટીમો પણ પહોંચી ગઈ છે. પાવર બેકઅપ ઊભો કરવા સૂચના અપાઈ છે. કુલ 1 હજાર 428 જગ્યાએ પાવર બેક અપ ઊભા કરાયા છે. વીજ કંપનીની 661 ટીમ કાર્યરત છે. 444 આરોગ્યની ટીમ કામે લગાડી છે.

174 આઈસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ છે.. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે. તેમણે કહ્યું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે તે માટે 3 દિવસ ચાલે તેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવાયા છે. 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે.

Next Video