Cyclone Tauktae Gujarat Update: વાવાઝોડાને પગલે ગીર-સોમનાથમાં તંત્ર એલર્ટ પર

|

May 16, 2021 | 8:56 AM

Cyclone Tauktae : અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે જે ટૂંક સમયમાં જ વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિણમશે.

Cyclone Tauktae Gujarat Update: અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે જે ટૂંક સમયમાં જ વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિણમશે. ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

તો ગીર-સોમનાથમાં પણ ‘તાઉ તે’ વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર પર બોટ લાંગરી દેવામાં આવી છે. હજુ પણ અમુક બોટ  દરિયામાં છે. જેને લઈને તંત્ર સર્તક થયું છે.

ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF, SDRF અને વાયુસેના એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લા તંત્રએ લોકોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તો ગીર સોમનાથ તંત્ર સ્થળાંતર અને વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તમામ બંદરો પર કાંઠે વસતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. આગામી દિવસોમાં કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી છે.

Next Video