Cyclone Tauktae Gujarat Update: જામનગરમાં વાવાઝોડાને લઈને NDRF ની 2 ટિમ તૈનાત

|

May 16, 2021 | 12:28 PM

તૌકતે વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે.

Cyclone Tauktae: તૌકતે વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે. જિલ્લામાં તૌકતે વાવાઝોડું આગાહી અનુસાર તા.16 થી ગુજરાતમાં પ્રવેશશે તથા તા.17 અને તા.18 વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારબાદ જામનગરથી કચ્છ તરફ ફંટાઈ જશે.

જામનગરમાં તોઉતે વાવાઝોડાની આગાહી પગલે 2 NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તૈનાત, સાથે ફાયર એકેડમીના 60 જવાનોની મદદ લેવાશે. બોટ, દોરડા, ઝાડ કાપવાના મશીન, લાઈફ જેકેટ, સહીત સામાન સાથે રેસ્કયુ ટીમ તૈયાર છે. વાવાઝોડાની અગાહીના પગલે જીજી હોસ્પીટલની કોવીડ-19 હોસ્પિટલમાં સાવચેતના પગલાં ભરવામાં આવ્યા છે. વરસાદ કે વાવાઝોડાને કારણે વીજળી ગુલ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા 24 X 7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે, બચાવ અને રાહતની સાધનસામગ્રી સાથે વોર્ડ વાઇઝ તાંત્રિક ટીમોનુ ગઠન કરવામાં આવેલ છે. ફાયર ટીમોને એલર્ટ કરવામાં આવેલ છે, ભયજનક મકાનો ધરાવતા લોકોને સલામત સ્થળે ખસી જવા વ્યક્તિગત નોટિસ આપવામાં આવી છે.

વરસાદ દરમિયાન વધુ પાણી ભરાવાની શક્યતા છે તેવા વિસ્તારના લોકો માટે શાળાઓ તથા આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન જો લાંબાગાળા માટે વીજ પ્રવાહ ખોરવાય તો કોવિડ હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોને વીજ પ્રવાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.

Published On - 12:27 pm, Sun, 16 May 21

Next Video