Cyclone Tauktae : તાઉ તે વાવાઝોડાને પગલે મોરબી-માળીયાના 11 ગામ એલર્ટ પર

|

May 16, 2021 | 8:45 AM

Cyclone Tauktae : ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF એલર્ટ મોડ પર છે. કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી NDRFની 24 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Cyclone Tauktae :  ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટને લઇને NDRF એલર્ટ મોડ પર છે. કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી NDRFની 24 ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાને લઇને વાયુસેના પણ તૈયાર છે. CM રૂપાણીએ દરિયાકિનારાના જિલ્લા કલેક્ટરોને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આદેશ આપી દીધા છે.

સંભવિત વાવાઝોડાને લઈને મોરબી અને માળિયાના 11 ગામોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ સાથે જ મોરબી અને માળીયા માટે બે NDRF ની ટિમ સ્ટેન્ડ બાય પર મુકાઈ છે. વાવાઝોડાને પગલે જરૂરત પડશે તો એલર્ટ ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો તોળાતો ખતરો ગંભીર રૂપ લઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડુ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. ‘તાઉ તે’ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વેરાવળથી 730 કિમી દૂર છે.

વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. તમામ બંદરો પર કાંઠે વસતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે

Next Video