Bhavnagar : હાલ કોરોનાનું સંક્ર્મણ ચાલી રહ્યું છે. કોરોનાને કારણે ઘણા લોકો તેના જીવ ગુમાવી રહ્યા છે. આ વચ્ચે જાણીતા ક્રિકેટરના પિતાનું પણ કોરોનાને કારણે નિધન થયું છે.
આઇપીએલના IPL ના રાજસ્થાન રોયલ્સના ખેલાડી અને ભાવનગરના વતની ચેતન સાકરીયાના પિતાનુ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ચેતન સાકરીયાના પિતા કાનજીભાઈનો થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવનો રિપોર્ટ આપ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન થયું ચેતન સાકરીયા ના પિતાનું નિધન થયું છે.
ભાવનગર ના વરતેજ ગામે રહેતો અને એકદમ સામાન્ય પરિવારમાંથી આવતો એવો 22 વર્ષીય યુવાન ચેતન સાકરીયા આઇપીએલમાં 1.2 કરોડની રકમમાં રાજસ્થાન રોયલે તેમને ખરીદયો છે. થોડા મહિના પહેલા ચેતનના ભાઈએ પણ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ પિતાનું મોત નિપજતા શોક છવાઈ ગયો છે.