ભાવનગર શહેર અને જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ગંભીર સ્થિતિને પહોંચી વળવા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલી લેપ્રેસી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી બંધ હતી. જેને રિનોવેટ કરીને 150 જેટલા નવા ઓક્સિજન બેડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલ કુદરતી વાતાવરણમાં આવેલી હોવાથી દર્દીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.
Published On - 2:36 pm, Sun, 2 May 21