રાજ્યના એક લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ અપાશે. રાજભવન દ્વારા ચાલી રહેલા “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત કીટ આપવામાં આવશે. રાજ્યપાલની હાજરીમાં મુખ્યમંત્રીએ કોરોના સેવા યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ દશ હજાર કીટના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો.