ગુજરાતમાં શિક્ષકોના પે ગ્રેડમાં રહેલી વિસંગતતા દુર કરવા શિક્ષકો દ્વારા કરાતી રજૂઆત અને આંદોલનમાં હવે કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે. તમામ શિક્ષકોના પે ગ્રેડ 4200નો આપવાની માંગ સાથે કોંગ્રેસના મનીષ દોશીએ એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સુતેલી સરકારને જગાડવા પ્રતિક ઉપવાસ જરૂરી છે. શિક્ષકોની વાત કોઈ સાંભળતુ નથી ત્યારે આ પ્રકારના ઉપવાસ કરવા પડે છે. ગુજરાતમાં 2010 પૂર્વે જે શિક્ષકો છે તેમને 4200નો પે ગ્રેડ આપવામાં આવે છે જ્યારે 2010 પછીના શિક્ષકોને 2800નો પે ગ્રેડ આપવામાં આવે છે. શિક્ષકો સાથે આવો ભેદભાવ શા માટે ?