CM VIJAY RUPANI LIVE – રાજ્ય સરકારની કામગીરીનાં આંકડા જાહેર કરતા તેમણે ACBની કામગીરી વિશે ડાયરેક્ટર કેશવકુમારે વિગતો આપતા જણાવ્યું કે 2021માં 33 કરોડની અપ્રમાણસરની મિલ્કતોનાં કેસ કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં 50 કરોડનાં કેસ કરવામાં આવ્યા હતા. સરકારે તપાસ માટે ખુલ્લો દોર આપતા હજુ કેસની સંખ્યામાં વધારો થશે.
ગૃહ વિભાગ દ્વારા વિવિધ આંકડાઓ જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે 90 બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે તો જાતીય સતામણીનાં કેસમાં પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં શાસનમાં જે રંજાડ હતી તે દુર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. લેન્ડ ગ્રેબીંગ મુદ્દે પણ કાયદો બનાવવામાં આવ્યો છે. સરકારે ફ્રી હેન્ડ કામ કરી શકાય તે માટે મોકો આપ્યો છે.
Published On - 11:40 am, Fri, 22 January 21