રાજ્યમાં વધી રહેલા સંક્રમણે રાજ્ય સરકારની પણ ચિંતા વધારી છે અને ચિંતિત બનેલી સરકાર હવે એક્શન મોડમાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંક્રમણને પગલે કોર કમિટીની બેઠક બોલાવી અને રાજકોટ, સુરત, વડોદરા તથા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી. આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્યપ્રધાને કોરોના નિયંત્રણ મુદે અધિકારીઓ સાથે સમીક્ષા ચર્ચા કરી. સાથે જ યોગ્ય સારવાર અને હોસ્પિટલોની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી. મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં રાજ્યની ચીફ સેક્રેટરી અને આરોગ્ય સચિવે પણ વીડિયો કોન્ફરન્સમાં હાજરી આપી હતી.