રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં ભાજપ અને AAP વચ્ચે વિખવાદ સામે આવ્યો. લક્ષ્મીવાડીમાં મતદાન કેન્દ્ર બહાર AAPના ટેબલ પર તોડફોડ થઈ. કોઈ અજાણ્યા ટોળાએ ખુરશીઓમાં તોડફોડ કરી અને મતદારોને માહિતી આપવા બનાવેલું ટેબલ ઉંધુ વાળ્યું હતું. આ ઘટનાની જાણ થતા DCP સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો ઉગ્ર થતો અટક્યો.