મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે, રાજકોટ-વડોદરામાં કોરોના મુદ્દે કરશે રિવ્યુ બેઠક

|

Jul 28, 2020 | 1:40 PM

ગુજરાતમાં ખાસ કરીને વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાનુ વધી રહેલ સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતીત થઈ છે. આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા અને રાજકોટ ખાતે કોરોનાને લઈને રિવ્યુ બેઠક યોજશે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને મુખ્ય સચિવ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જેના પગલે, પ્રત્યેક બુધવારે યોજાતી રાજ્ય પ્રધાનમંડળની બેઠક નહી યોજાય. […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે, રાજકોટ-વડોદરામાં કોરોના મુદ્દે કરશે રિવ્યુ બેઠક

Follow us on

ગુજરાતમાં ખાસ કરીને વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાનુ વધી રહેલ સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતીત થઈ છે. આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા અને રાજકોટ ખાતે કોરોનાને લઈને રિવ્યુ બેઠક યોજશે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને મુખ્ય સચિવ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જેના પગલે, પ્રત્યેક બુધવારે યોજાતી રાજ્ય પ્રધાનમંડળની બેઠક નહી યોજાય. રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસને કાબુમાં લેવા માટે શહેરકક્ષાએ વધુ કેટલાક નિયંત્રણો લાદવા અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે તો હોસ્પિટલમાં મળતી તબીબી સુવિધાઓમાં વધારો કરવા બાબતે પણ ચર્ચા વિચારણા કરાશે.

Next Article