Breaking News: પાટણના સાંતલપુરમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો

|

Mar 19, 2023 | 10:59 PM

ઉત્તર ગુજરાતના પાટણમાં બીજા દિવસે પણ કમોસમી વરસાઇની આફત યથાવત રહી છે અને સાંતલપુર પંથકમાં ભારે પવન તેમજ કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ છેલ્લા દોઢ કલાકથી સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે

Breaking News: પાટણના સાંતલપુરમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો

Follow us on

ઉત્તર ગુજરાતના પાટણમાં બીજા દિવસે પણ કમોસમી વરસાઇની આફત યથાવત રહી છે અને સાંતલપુર પંથકમાં ભારે પવન તેમજ કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ છેલ્લા દોઢ કલાકથી સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે

 

પાટણમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પારવાર નુકશાન થયુ છે. લણણીના ટાણે પાકને નુકશાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો છે. તો સાથે જ પાકને પારાવાર નુકશાન થતા સરકાર પાસે રાહતની માગ કરી છે. ખેડૂતોનુ કહેવુ છે કે મંડળીઓમાં ધીરાણ ભરવાનો સમય આવ્યો અને નુકસાની પણ આવી.પાક વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ પરંતુ નુકસાનીમાં યોગ્ય વળતર ન આપતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો

તો આ તરફ ભારે વરસાદના કારણે અરવલ્લીના મોડાસા તાલુકામાં અલગ-અલગ વિસ્તારોમાં બાગાયતી પાક નષ્ટ થઈ ગયો છે. મોડાસાના મણિયાર, કોકાપુર,મોરા ,ડઘાલિયા, વરથુ અને નહેર કંપા સહિતના વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. મણિયાર પંથકમાં અંદાજિત 100 વીઘામાં ખેડૂતોએ તરબુચનુ વાવેતર કર્યું હતુ, જે રીતે તરબુચનુ ઉત્પાદન થઈ રહ્યુ હતુ તેમાં ખેડૂતોને આશા હતી કે આ વર્ષ તરબૂચના સારા ભાવ મળશે.

જો કે ખેડૂતોના તરબુચ માર્કટ સુધી પહોંચે તે પહેલા જ પવના સાથે વરસેલા વરસાદ અને કરાના કારણે તરબુચ ફાટી ગયા છે. આટલુ મોટુ નુકસાન થતા હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.

હજુ પણ ખેડૂતો પર માવઠાનુ સંકટ

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 

Published On - 9:34 pm, Sun, 19 March 23

Next Article