Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ 4 આરોપીઓની થઈ ધરપકડ

|

Apr 25, 2023 | 9:31 PM

યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવા પાસેથી વધુ 25.50 લાખ રિકવર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્કની રિકવરી કરવામાં આવી હતી.

Breaking News: યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી પોલીસે વધુ 25.50 લાખ કર્યાં રિકવર, વધુ  4 આરોપીઓની થઈ ધરપકડ

Follow us on

યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવા પાસેથી વધુ 25.50 લાખ રિકવર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્કની રિકવરી કરવામાં આવી હતી.

યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી 25.50 લાખ રૂપિયા રિકવર કરાયા છે. શિવુભાએ પણ આ રકમ પોતાના મિત્રના ત્યાં છૂપાવી હતી. સંજય જેઠવા નામના મિત્રના ત્યાંથી સાડા 25 લાખ રૂપિયા રિકવર કરાયા છે. મહત્વનું છે કે, અગાઉ કાનભાની ધરપકડ બાદ તેમના મિત્રના ઘરથી રૂપિયા રિકવર કરાયા હતા. કાનભાના મિત્રના ઘરથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 73.5 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસે વધુ 4 આરોપીઓની કરી ધરપકડ

પોલીસે ડમી કાંડમાં આજે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા, કીર્તિકુમાર પનોત અને સંજય સોલંકીનો સમાવેશ થાય છે . ડમીકાંડમાં અત્યાર સુધી કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ  વધુ 4 આરોપીઓ સહિત  હવે ડમીકાંડમાં કુલ 42 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.

 ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

Published On - 7:59 pm, Tue, 25 April 23

Next Article