Breaking News : પીએમ મોદી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

PM મોદી 12 મેના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેવો વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. જેમાં પીએમ મોદી 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે તેમજ 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.

Breaking News : પીએમ મોદી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
PM Modi Gujarat Visit
| Updated on: May 10, 2023 | 11:29 AM

પીએમ મોદી( PM Modi)  12 મેના રોજ એક દિવસના ગુજરાત(Gujarat)  પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેવો વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. જેમાં પીએમ મોદી 10 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે તેમજ 11 વાગે પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશનમાં ગિફ્ટ સિટી ખાતે હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. આગામી 12મી મે એ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે. ગિફ્ટ સિટી ખાતે શૈક્ષિક સંઘનું 29મું અધિવેશન યોજાવાનું છે. પીએમ મોદી આ અધિવેશનમાં હાજરી આપવાના છે. આ અધિવેશનમાં1લાખથી વધુ શિક્ષકો હાજર રહેશે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિને લઈને શિક્ષકોમાં પણ ઉત્સાહનો માહોલ છે.

વડાપ્રધાન મોદી 25 એપ્રિલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રવાસે હતા

આ અગાઉ વડાપ્રધાન મોદી 25 એપ્રિલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે કરોડોના વિકાસકાર્યોની સોગાત આપશે. વડાપ્રધાન મોદી તેમના મેરેથોન પ્રવાસ અંતર્ગત સૌપ્રથમ તેમણે દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નમો મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કર્યુ હતુ.

વડાપ્રધાન મોદીએ સેલવાસમાં નિર્માણ પામેલ અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્દઘાટન કર્યુ  ત્યારબાદ તેઓ કુલ 4850 કરોડની 96 વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. સેલવાસથી વડાપ્રધાન મોદી સીધા જ દમણ રવાના થયા હતા. અહીં પીએમ મોદી સાંજે 6 વાગ્યે મેગા રોડ-શો કરશે. જે બાદ તેઓ દેવકા સી ફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.

સૌપ્રથમ વાત કરીએ તો નમો મેડિકલ કોલેજ વડાપ્રધાન મોદી સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપશે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:08 am, Wed, 10 May 23