Breaking News Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં, અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

|

Jun 15, 2023 | 11:23 AM

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Breaking News Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં, અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ

Follow us on

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાકને લઈને પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, દીવ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Breaking News : વાવાઝોડા Biparjoyને લઇને સૌથી મોટા સમાચાર, વાવાઝોડુ જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર

વાવાઝોડાને લઈને CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

સંભવિત વાવાઝોડાને ખતરાને લઈને ગુજરાત સરકાર ખૂબ જ સતર્ક છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી છે. બેઠકમાં હવામાન વિભાગના ડાયરેક્ટર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ વાવાઝોડું બિપરજોયની હાલની સ્થિતિની માહિતી મેળવી છે. વાવાઝોડાથી થનારી અસર પર પણ બેઠકમાં ચર્ચા થઈ છે. કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સ્થિતિ પર નજર રખાઈ રહી છે. ખતરાને પહોંચી વળવા રાજ્ય સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

AMCએ વિવિધ ઝોનમાં 24 કલાકના કંટ્રોલ રૂમ તૈયાર કર્યો

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ એક કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. કંટ્રોલ રૂમ દ્વારા સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ કરાઇ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ વાવાઝોડા અંગે 1055/303 પર ફરિયાદ નોંધાવી શકશે. તેમજ નાગરિકો 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ કરી શકશે. કન્ટ્રોલ રૂમમાં 24 કલાક કર્મચારીઓને કાર્યરત રાખવામાં આવશે. દરેક ઝોનલ કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા વૃક્ષો કાપ્યા

મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા 900થી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન લોકો ઝાડની નીચે ઉભા રહેવાનું ટાળે. જે લોકોનું પ્રાઇવેટ ગાર્ડન છે તેને પણ ટ્રીમ કરવા માટે મનપાની મદદ લઇ શકે છે. અમદાવાદના 2 લાખ પૈકી 1.60 લાખ વીજપોલની સ્ટેબિલીટી અને વાયર બોર્ડની ચકાસણી કરાઇ છે.

અમદાવાદમાં 1380 મનપા અને ખાનગી હોર્ડિંગના સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. પાણીનો સપ્લાય મળી રહે તે માટે પણ ચકાસણી પૂર્ણ થઇ ગઇ છે. વધુ વરસાદના કારણે ભરાયેલા પાણીના નિકાલ માટે પણ 83 પંપ સાથે વધારાના 10 વરૂણ પંપ લેવાયા છે. અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ 24 કલાક માટે બંધ રખાશે. રાહત અને બચાવ કાર્ય માટે ફાયરની 15 ટીમ 5 બોટિંગ સ્ટાફ સહિતની ટીમ તૈયાર છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:41 am, Thu, 15 June 23

Next Article