Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, નવા 74 કેસ નોંધાયા

|

May 06, 2023 | 7:52 PM

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં કોરોનાના નવા 74 કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 643 થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.10 ટકાએ પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી 145 દર્દી સાજા થયા છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, નવા 74 કેસ નોંધાયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના(Corona)  કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં  06 મેના રોજ કોરોનાના નવા 74 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 37, (Ahmedabad) સુરત ગ્રામ્યમાં 06, વડોદરામાં 05, સુરતમાં 04, વડોદરા ગ્રામ્યમાં 04,વલસાડમાં 04, ડાંગમાં 03, રાજકોટમાં 03, આણંદમાં 02, ભરૂચમાં 02, જામનગરમાં 02, દાહોદમાં 01 અને મહેસાણામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 643 થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.10 ટકાએ પહોંચ્યો છે. જ્યારે કોરોનાથી 145 દર્દી સાજા થયા છે.

WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો

આ દરમ્યાન  છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ 19 ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઈને એક રાહતના સમાચાર છે. WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોના રોગ હવે વૈશ્વિક કટોકટી નથી.

વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે

જો કે WHOએ હજુ સુધી આ રોગચાળાના અંતની જાહેરાત કરી નથી, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે હવે કોવિડને કારણે કોઈ કટોકટીની સ્થિતિ નથી. એટલે કે, આ રોગ રહેશે, પરંતુ તેના કારણે મૃત્યુનો કોઈ ભય નથી. એટલે કે, હવે કોવિડને આંતરરાષ્ટ્રીય સ્તરે તે જ જોખમ નથી, જે પહેલા હતું, જોકે હજી પણ વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

જાન્યુઆરી 2020 માં, WHO એ કોરોનાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. તે દરમિયાન તમામ દેશોને આ રોગથી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. WHOમાં સામેલ તમામ 196 દેશોએ કોવિડથી બચવાના માર્ગદર્શિકાનું પાલન કરવું પડ્યું હતું. જો કે, હવે તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે સમાપ્ત માનવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:31 pm, Sat, 6 May 23

Next Article