Breaking News: Gujarat Corona Cases: રાજ્યમાં આજે કોરોનાના વધુ 20 કેસ નોંધાયા, 1નું મોત

Gujarat Corona Cases: અમદાવાદમાં 10, વલસાડમાં 4, વડોદરામાં 2 કેસ, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, મહિસાગરમાં 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 13 દર્દી સાજા થયા છે.

Breaking News: Gujarat Corona Cases: રાજ્યમાં આજે કોરોનાના વધુ 20 કેસ નોંધાયા, 1નું મોત
corona virus
| Updated on: May 17, 2023 | 7:04 PM

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 17 મેના રોજ કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 150ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 134એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 10, વલસાડમાં 4, વડોદરામાં 2 કેસ, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, મહિસાગરમાં 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 13 દર્દી સાજા થયા છે.

વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે

જો કે WHOએ હજુ સુધી આ રોગચાળાના અંતની જાહેરાત કરી નથી, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે હવે કોવિડને કારણે કોઈ કટોકટીની સ્થિતિ નથી. એટલે કે, આ રોગ રહેશે, પરંતુ તેના કારણે મૃત્યુનો કોઈ ભય નથી. એટલે કે, હવે કોવિડને આંતરરાષ્ટ્રીય સ્તરે તે જ જોખમ નથી, જે પહેલા હતું, જોકે હજી પણ વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે.

આ પણ વાંચો: Vadodara: કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલ સસ્પેન્ડ, RSSના પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહેતા કરવામાં આવી કાર્યવાહી

જાન્યુઆરી 2020 માં, WHO એ કોરોનાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. તે દરમિયાન તમામ દેશોને આ રોગથી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. WHOમાં સામેલ તમામ 196 દેશોએ કોવિડથી બચવાના માર્ગદર્શિકાનું પાલન કરવું પડ્યું હતું. જો કે, હવે તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે સમાપ્ત માનવામાં આવે છે.

WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો

આ દરમ્યાન છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ 19 ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઈને એક રાહતના સમાચાર છે. WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોના રોગ હવે વૈશ્વિક કટોકટી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:50 pm, Wed, 17 May 23