Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 21 માર્ચના રોજ નવા 176 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 916 એ પહોંચી છે. જ્યારે ભરૂચમાં એક દર્દીનું મોત થયું છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 89, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 03, ભરૂચમાં 01, ભાવનગરમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં જિલ્લામાં 04 કેસ નોંધાયું છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત
Gujarat Corona Update
| Updated on: Mar 21, 2023 | 8:05 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 21 માર્ચના રોજ નવા 176 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 916 એ પહોંચી છે. જ્યારે ભરૂચમાં એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં  છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત થયું છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 89, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 03, ભરૂચમાં 01, ભાવનગરમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં જિલ્લામાં 04, ગાંધીનગરમાં 02, જામનગરમાં 02, જૂનાગઢમાં 01, ખેડામાં 02, મહેસાણામાં 16, નવસારીમાં 03, પાટણમાં 01, પોરબંદરમાં 03, રાજકોટ જિલ્લામાં 04, રાજકોટમાં 15, સુરત જિલ્લામાં 03, સુરતમાં 15, સુરેન્દ્રનગરમાં 01 અને વડોદરામાં 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 69 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

 

 

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા ઈન્ફેક્શન એક સાથે થઈ શકે છે, પરંતુ આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. હા, પરંતુ જો કોઈ વ્યક્તિ આ બંને વાયરસથી એકસાથે સંક્રમિત થાય છે, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેનાથી બચવાનો ઉપાય એ છે કે જો ત્રણ દિવસથી વધુ સમયથી ઉધરસ, શરદી કે તાવની ફરિયાદ રહે તો ડોક્ટરને બતાવો.

કેવી રીતે બચાવ કરવો

1. માસ્ક પહેરો

2. ભીડવાળા વિસ્તારોમાં ન જાઓ

3. હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો

4. ફલૂના લક્ષણો ધરાવતા દર્દીના સંપર્કમાં ન આવો

આ પણ વાંચો : Gujarati Video : આધાર કાર્ડ સેન્ટર્સ પર લાગી લાંબી લાઇન, આધાર-પાન કાર્ડ લિંક કરવાની પ્રક્રિયાને પગલે પહોંચ્યા અરજદાર

 

Published On - 7:09 pm, Tue, 21 March 23