ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 25 માર્ચના રોજ ગુજરાતમાં 402 કોરોના કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં 219, રાજકોટમાં 28, સુરતમાં 25, મોરબીમાં 18, અમરેલીમાં 15, મહેસાણામાં 12, રાજકોટ જિલ્લામાં 12, વડોદરામાં 12, વડોદરા જિલ્લામાં 11, સાબરકાંઠામાં 9, સુરતમાં 7, ગાંધીનગરમાં 6, વલસાડમાં 5, ભરુચમાં 3, જામનગરમાં 3, નવસારીમાં 3, આણંદમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગર જિલ્લામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે 2 દર્દીનો કોરોનાને કારણે મોત થયા છે.
આજે કોરોનાના કારણે અમદાવાદમાં 1 અને કચ્છમાં 1 દર્દીનું મોત થયુું છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1529 થયા છે. જેમાંથી 1522 દર્દીઓ સ્ટેબલ છે અને 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે રાજ્યમાં કોરોનાથી 162 દર્દીઓ સાજા પણ થયા છે. આજે ગુજરાતમાં 543 નાગરિકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.
Corona outbreak in Gujarat, today 402 corona cases were reported and 2 patients died | #TV9GujaratiNews #coronaupdates #gujarat pic.twitter.com/TG3n2PSv16
— Tv9 Gujarati (@tv9gujarati) March 25, 2023
આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
Published On - 7:57 pm, Sat, 25 March 23