ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હતો. પણ હાલમાં કોરોનાના દેૈનિક કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 2 મેના રોજ ગુજરાતમાં નવા 96 કોરોના કેસ નોંધાયા છે. આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આજે અમદાવાદમાં 27, વડોદરામાં 10, સુરત જિલ્લામાં 9, સુરતમાં 7, વલસાડમાં 7, ભરુચમાં 5, આણંદમાં 3, ગાંધીનગરમાં 3, મહેસાણામાં 3, વડોદરા જિલ્લામાં 3, અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2, પાટણમાં 2, રાજકોટમાં 2, સાબરકાંઠામાં 2, બોટાદમાં 1, જામનગરમાં 1, મહીસાગરમાં 1, મોરબીમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.
આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 946 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 940 દર્દીઓ સ્ટેબલ છે. આજે 246 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે.
કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.
આ 8 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (1 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), તમિલનાડુ (11 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), રાજસ્થાન (6 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), મહારાષ્ટ્ર (8 જિલ્લામાં positivity દર 10% છે) કરતાં વધુ), કેરળ (14 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ), કર્ણાટક હરિયાણા (12 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ) અને દિલ્હી 11 જિલ્લામાં પોઝિટિવિટિ દર 10% કરતાં વધુ) સામેલ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:23 pm, Tue, 2 May 23