
બનાસકાંઠાના દિયોદરમાં સાંબલા વડા ગામના રમેશજી ઠાકોરનું કારની અડફેટે મોત થયું હતું. આ અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. તો મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે કાર ચાલક નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. દરમિયાન કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા.
મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે તેમજ પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
દિયોદરના ભાભર હાઇવે ઉપર થયેલા અકસ્માત ગ્રસ્ત કારમાંથી બિયરના ટીન મળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે Tv9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
બનાસકાંઠાના દિયોદરમાં કારની અડફેટે રાહદારીનું મોત, કાર ચાલક નશામાં હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/uExHsvMiRb
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
તો બીજી તરફ અમદાવાદમાં રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડે બાઇક પણ પાણી નો ફુવારો કરી આગ ઓલવી હતી. આઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Published On - 9:27 pm, Mon, 3 April 23