Botad : ગઢડા ગોપીનાથજી મંદિરનાં આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભસ્વામી તડીપાર કરાયા, 6 જિલ્લામાંથી હદપારનો હુકમ

|

Jun 02, 2021 | 1:00 PM

Botad : છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કોઈને કોઈ વિવાદમાં આવતુ રહ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરના (Gadha Gopinathji temple ) પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની નોટિસ ફટકારી છે.

Botad : છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કોઈને કોઈ વિવાદમાં આવતુ રહ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરના (Gadhada Gopinathji temple ) પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની નોટિસ ફટકારી છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભસ્વામીને 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ આપવામાં આવી છે. કલમ 307 જેવા અલગ અલગ ગુન્હામાં મદદગારી કરવા બદલ તડીપારની નોટીસ ફટકારવામાં આવી છે.

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલુ છે જેમાં છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કોઈ ને કોઈ વિવાદમાં આવતુ રહ્યું છે. ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટેની નોટીસ આપવામાં આવી છે.

જેમાં 2007 અને 2018માં થયેલ 307 સહિત જાહેરનામા ભંગ અને અલગ અલગ ગુન્હાઓમાં મદદગારી કરવા બદલ બોટાદ , ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી તડીપાર માટેની નોટીસ ફટકારી છે.

તડિપાર કરેલા 6 જિલ્લામાં એસ.પી.સ્વામી ,સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હદપારના હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મેં થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ અપીલ કરી શકશે.

Next Video