રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને અહમદ પટેલના નિધન બાદ રાજ્યસભાની 2 સીટ ખાલી પડી હતી. આ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. ભાજપે ( BJP ) રાજયસભાના બે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. દિનેશ પ્રજાપતિ, રામભાઈ મોકરીયાના નામની જાહેરાત કરી છે. રામભાઈ મોકરીયા પોરબંદર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવે છે તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠા ઉતર ગુજરાતથી આવે છે.