
ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને સંબોધતા તેમણે આ જાહેરાત કરી. જાહેરાતમાં તેમણે કહ્યું,
“જેવી રીતે લેઉઆ પટેલ સમાજ ખોડલધામ માટે એકજૂટ થયો તે રીતે માતા ભવાનીના ધામ-મંદિર નિર્માણ માટે રાજપૂત સમાજે એક થઈ આગળ આવવું જોઈએ. હું આપણા સમાજની દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે આ ભવ્ય મંદિરના નિર્માણ માટે પોતાનો ફાળો આપવામાં કોઈએ પાછી પાની ન કરવી જોઈએ.”
ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા વજુભાઈએ કહ્યું કે મા ભવાનીનું ભવ્ય મંદિર રૂ.100 કરોડના ખર્ચે 17 એકડની જગ્યામાં બનાવવાનું નક્કી કરાયું છે. આ મંદિર સુરેન્દ્રનગરમાં ડેમની નજીક બનશે. આ માટે જગ્યાની ફાળવણી પણ ટૂંક સમયમાં કરી દેવાશે. આ મંદિર રાજપૂત સમાજ માટે ખૂબ મહત્ત્વનું બની રહેશે. સાથે જ ભવિષ્યમાં આ મંદિર થકી વિવિધ સામાજિક, સ્વાસ્થ્યને લગતી તેમજ શિક્ષણને લગત પહેલ પણ કરાશે.
[yop_poll id=1300]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]