
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડામાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થતા, ગ્રામ્યજનોએ આજથી સાત દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જીવનજરૂરી ચીજવસ્તુ મેળવવા માટે કલાકો નિર્ધારીત કર્યા છે. ખાસ કરીને અનાજસ કરીયાણુ, શાકભાજીની દુકાન સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તો દવાની દુકાન અને દૂધની ડેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. બિદડા ગામમાં કોરોનાથી એકનું મોત થતા કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે ગ્રામ્યજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃસુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:47 am, Mon, 7 September 20