Bhavnagar : રસીકરણને લઇને યુવાનોમાં ભારે ઉદાસીનતા, 77 ટકા યુવા વર્ગ રસી વિહોણા

|

Jun 17, 2021 | 1:18 PM

Bhavnagar : સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોના સામે જંગ જીતવા માટે કોરોના વેક્સિનેશન (Corona Vaccination) શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની સામે જંગ જીતવા રસી કારગર ઉપાય છે.

Bhavnagar : સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોના સામે જંગ જીતવા માટે કોરોના વેક્સિનેશન (Corona Vaccination) શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની સામે જંગ જીતવા રસી કારગર ઉપાય છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તે પૈકી મોટાભાગના દર્દીઓ એવા હતા કે જેમણે વેક્સિન નહોતી લીધી. વેક્સિન લીધી હોય અને કોરોના થયો હોય તેવા દર્દીઓ બહુ સામાન્ય હતા. કોરોના સામેની રસી એક ઈલાજ તરીકે સાબિત થઈ રહી છે. પરંતુ રસીકરણને લઇને યુવાનોમાં ભારે ઉદાસીનતા જોવા મળી છે. આ ઉદાસીનતા ત્રીજી લહેર માટે ભારે પડી શકે છે.

સરકારના અથાગ પ્રયત્નો અને કરોડોના ખર્ચ કરવા છતાં લોકો રસી નથી લઈ રહ્યા. ભાવનગરમાં હજુ પણ 77 ટકા યુવાનો રસી વિહોણા છે. ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે રસીકરણમાં ઉદાસીનતા હજુ ખરાબ પરિણામ લાવી શકે છે.

ભાવનગર જિલ્લામાં ગઈકાલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 48 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,385 કેસ આવ્યા છે. જે પૈકી 21,003 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે. આથી જિલ્લામાં રિકવરી રેઇટ 98.21 ટકા પર છે.

ભાવનગર 45 ગામો એવા છે કે, જ્યાં અમુક ચોક્કસ જ્ઞાતિના લોકો ખોટી માન્યતાઓ, અંધ શ્રદ્ધાઓ, અફવાઓને લઈને વેકસીન લેવાથી મોત થાય છે જેવી ખોટી વાતોમાં આવી ગયા છે. આ બાબતની સમજણ આપવા છતાં રસી નથી લઈ રહ્યા.

Next Video