BHAVNAGAR: માર્કેટીગ યાર્ડમાં અધધ…ડુંગળીની આવક, ડુંગળીથી છલકાઈ ગયું યાર્ડ

|

Jan 31, 2021 | 1:10 PM

ભાવનગર ( BHAVNAGAR ) માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની બે લાખ જેટલી ગુણીની આવક થતા યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી.

ભાવનગર ( BHAVNAGAR ) માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ ભરાઈ ગયું છે. માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની બે લાખ જેટલી ગુણીની આવક થતા યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં જગ્યાના અભાવે સબ યાર્ડ બનાવાની ફરજ પડી છે. આ સાથે જ ડુંગળીના સારા ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે. ડુંગળીની વિક્રમી આવકને પગલે, સોમવાર સુધી ડુંગળી ના લાવવા માર્કેટયાર્ડે અપિલ કરી છે. 450થી 600 સુધી લાલ ડુંગળીનો ભાવ બોલાઈ રહ્યો છે. સારા ભાવ મળતા હોવાનું ખેડૂતોનુ કહેવ છે. નિષ્ણાતોનું માનવુ છે કે યોગ્ય નિકાસ નિતીને કારણે ડુંગળીની માંગ વધવાની સાથે તેના ભાવ પણ વધી રહ્યાં છે.

Next Video