અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો નહી યોજાય

|

Jul 16, 2020 | 6:20 AM

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને ગુજરાત સરકાર અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળાની મંજૂરી નહી આપે. ગઈકાલે યાત્રાધામ પ્રધાન અને મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મેળાની મંજૂરી નહી આપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે અંબાજી ખાતે મેળો યોજાતો હોય છે. ભાદરવા મહિનાની પૂનમે 23થી 26 લાખ ભક્તો […]

અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો નહી યોજાય

Follow us on

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને ગુજરાત સરકાર અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળાની મંજૂરી નહી આપે. ગઈકાલે યાત્રાધામ પ્રધાન અને મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મેળાની મંજૂરી નહી આપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે અંબાજી ખાતે મેળો યોજાતો હોય છે. ભાદરવા મહિનાની પૂનમે 23થી 26 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા ઉમટતા હોય છે. જો મેળે યોજાય તો કોરોનાના કેસ વધે તેવી ભિતીને ધ્યાને લઈને આ વર્ષે મેળાની મંજૂરી નહી આપવા નિર્ણય કરાયો છે.

Next Article