
મુખ્યપ્રધાને લખ્યું, "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.