BANASKATHA : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાભરમાં ગૌશાળાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલના હસ્તે પશુ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે 30 એકર જમીન ગૌશાળાને અર્પણ કરાઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને તેમના પત્ની દર્શનાબેને ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌશાળાના ટ્રસ્ટી અને સંચાલકોએ રાજ્યપાલને સ્મૃતિ ચિન્હ અને ગાયની પ્રતિકૃતિ આપી સન્માન કર્યું.