ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર મુસાફરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાશે, રિપોર્ટ નેગેટિવ આવે તો જ ગુજરાતમાં પ્રવેશ

|

Apr 02, 2021 | 9:51 PM

રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે RTPCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. ત્યારે બીજા રાજ્યમાંથી આવતા મુસાફરોને બોર્ડર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)કરાવવાની માંગ કરી છે.

રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે RTPCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. ત્યારે બીજા રાજ્યમાંથી આવતા મુસાફરોને બોર્ડર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid Antigen Test)કરાવવાની માંગ કરી છે. જેના પગલે અંબાજી નજીક આવેલી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આજથી એસટી બસમાં આવતા તમામ મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે અને જો ટેસ્ટ પોઝિટીવ આવે તો રાજસ્થાન દર્દીને રાજસ્થાન પરત મોકલી દેવામાં આવે છે.

 

છેલ્લા 24 કલાકમાં 2,640 નવા કેસ

જો રાજ્યમાં આજના કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2,640 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ-રાજકોટ-સુરતમાં ત્રણ-ત્રણ અને વડોદરા તથા ભરૂચમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,12,748 થઈ છે.

એક્ટીવ કેસ વધીને 13,559 થયા

રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 13,559 થયા છે. જેમાં 158 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13,401 લોકોની સારવાર ચાલી રહી છે.

 

4,40,346 લોકોને કોરોનાની રસી અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે કુલ 4,40,346 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57,75,904 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,30,124 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજ બીજો દિવસ છે. રાજ્યમાં આજે 45થી 60 વર્ષના કુલ 3,51,802 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 29,137 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 65,06,028 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

 

આ પણ વાંચો: દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 11 રાજયોમાં જ કોરોનાના 90 ટકા કેસો અને મૃત્યુ સામે આવ્યા

Next Video