Ahmedabad: અસારવા સિવિલમાં ટ્રેઇની ડોકટર્સની ટ્રીટમેન્ટ ઓન વ્હીલ, દર્દી દાખલ ન થાય ત્યાં સુધી અપાય છે પ્રાથમિક સારવાર

|

Apr 30, 2021 | 12:45 PM

હોસ્પિટલમાં બેડ ખાલી ન હોય ત્યાં સુધી તો દર્દીએ બહાર જ કલાકો સુધી રાહ જોવી પડે છે. આ દરમિયાન ટ્રીટમેન્ટ ઓન વ્હીલ નામની સેવા થકી જૂનિયર અને ટ્રેઈન્ડ ડોક્ટર્સ તેમને જરૂરિયાત જેટલી સારવાર આપી રહ્યા છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં હવે 108 વગર પ્રાઈવેટ વાહનોમાં પણ દર્દીઓને લઈ જવાની છૂટ મળી છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોય ત્યાં સુધી તો દર્દીએ બહાર જ કલાકો સુધી રાહ જોવી પડે છે. આ દરમિયાન ટ્રીટમેન્ટ ઓન વ્હીલ નામની સેવા થકી જૂનિયર અને ટ્રેઈન્ડ ડોક્ટર્સ તેમને જરૂરિયાત જેટલી સારવાર આપી રહ્યા છે અને એ પણ કોઈ વેતન વિના. કોરોનાની પહેલી લહેરમાં તેમણે કરેલા કામનો અનુભવ અહીં તેમને ઉપયોગી થઈ રહ્યો છે.

1200 બેડ બહાર લાગતી વાહનોની લાઈનમાં જ સારવાર આપતાં આ ઈન્ટર્ન અને જૂનિયર ડોક્ટર્સની સેવા પણ નાની સૂની નથી. પહેલી લહેરમાં કેટલાક ડોકટર સંક્રમિત પણ થયા હતા છતાં ભય અને સંકોચ વગર આ લહેરમાં સારવાર આપતાં આ ડોક્ટર્સની લોકોને બે સલાહ છે એક તો કારણ વગર બહાર નીકળવાનું ટાળો અને કેમકે આ લહેરમાં યુવાનોની પણ જીંદગી દાવ પર મુકાતા તેમણે જોઈ છે.

Next Video