
વડતાલ મંદિરની દાનની આવક 52 લાખઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરને કોરોના પૂર્વેના સમયમાં દર મહિને 65 લાખ દાન મળતું હતું. પરંતુ કોરોના દરમિયાન તે ઘટીને 15 લાખ થઈ ગયું હતું. જો કે, હાલ દાનની આ રકમ 52 લાખે પહોંચી છે.

સાળંગપુર હનુમાન મંદિરની દાનની આવક 55 લાખઃ મંદિરને સામાન્ય દિવસોમાં દર મહિને મળતા દાનની સરખામણીએ કોરોના દરમિયાન માંડ 32 ટકા દાન મળ્યું હતું. જો કે, કેસ ઘટવા સાથે છેલ્લા એક મહિનામાં દાનની રકમમાં વધારો થયો છે અને કોરોના પૂર્વેની સપાટીએ પહોંચી ગયું છે.

ભદ્રકાળી મંદિરની દાનની આવક 2.5 લાખઃ કોરોનાની ત્રીજી લહેરના લગભગ 25થી 30 દિવસ દરમિયાન ભદ્રકાળી મંદિરને માંડ 25 હજાર દાન મળ્યું હતું. જો કે, પરિસ્થિતિ સુધરતા મહિને સરેરાશ અઢી લાખ દાનની અગાઉની સપાટી આવી ગઈ છે.

અમદાવાદ ઇસ્કોન મંદિરની દાનની આવક 1.5 લાખઃ ઈસ્કોન મંદિરને પણ કોરોનાના 25થી 30 દિવસના ગાળામાં માંડ 25 હજાર દાન મળ્યું હતું પણ છેલ્લા 20થી 25 દિવસમાં દાનની કુલ રકમ વધીને દોઢ લાખ થતાં લગભગ 6 ગણો વધારો થયો છે.
Published On - 12:11 pm, Thu, 24 February 22