અરવલ્લીના ખંભીસરમાં વરઘોડો કાઢવાનો વિવાદઃ જાનને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા મુદ્દે થયેલી બબાલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વરઘોડાને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ અને જાનથી મારી નાખવાનો ગુનો પણ દાખલ કર્યો છે. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલીત યુવકનો લગ્નનો વરઘોડો નિકાળવાને મામલે થયેલા […]

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડો કાઢવાનો વિવાદઃ જાનને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ
| Updated on: May 17, 2019 | 2:53 PM

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા મુદ્દે થયેલી બબાલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વરઘોડાને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ અને જાનથી મારી નાખવાનો ગુનો પણ દાખલ કર્યો છે.

મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલીત યુવકનો લગ્નનો વરઘોડો નિકાળવાને મામલે થયેલા ઘર્ષણ સર્જાયું હતું. જેને લઈને વધુ એક ફરીયાદ પોલીસે નોંધી છે. વરઘોડામાં અવરોધ ઉભો કરીને જાનથી મારી નાંખવાના પ્રયાસ, મારામારી કરવા અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવાને લઇને પોલીસે ફરીયાદ દાખલ કરી છે. ૪૫ જેટલા સ્થાનીક સ્ત્રી-પુરુષો સહિત 150થી વધુ ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

TV9 Gujarati

 

Follow Us