કૃષિ કાયદાને લઈ ખેડૂતોમાં પ્રસરેલી નારાજગી કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ દૂર કરી છે. છોટાઉદેપુર રૂપાલાએ જાહેર સભા દરમિયાન કહ્યું કે, તેઓ ભારત સરકારના કૃષિ મંત્રી તરીકે ખેડૂતોને ખાતરી આપે છે કે સરકારનો ઈરાદો APMC બંધ કરવાનો નથી. ખેડૂતો મુક્ત વાતાવરણમાં વેપાર કરી શકે તે માટે ભારત સરકારે વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરી છે. ખેડૂતોની આડમાં કમિશન ખાનારાઓ જ દિલ્લીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે.