Anand Mass Suicide : આજકાલ આત્મહત્યાના બનાવોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ છાશવારે એક પછી એક હચમચાવી દેનારા આપઘાતના બનવાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદની આયેશા કે પછી વડોદરાના સામૂહિક આપઘાતના અહેવાલો બાદ બારડોલીના એક યુવાને ગળે ફાંસો ખાઈ લીધાના પણ સમાચાર આવ્યા હતા. આ સાથે જ આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આર્થિક તંગીના કારણે પગલું ભર્યાનું સામે આવ્યું છે. જેમાં માતા અને પુત્રનુંં મોત નીપજ્યું છે, જ્યારે પુત્રીને સારવાર હેઠળ ખસેડાઈ છે. આણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.