ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આણંદ (Anand) જિલ્લાના ઉમરેઠના તાલુકાના થામણા ગામના સરપંચ અને ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાથી મોત થયું છે. રેખાબેન પટેલ 7 દિવસથી વાસદની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા.