
અમરેલી જિલ્લાના ખાંભામાં બે સિંહોએ ગાયનું મારણ કર્યું છે. ખાંભાના એક મંદિર નજીક ખોરાકની શોધમાં બે સિંહો જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં ઘસી આવ્યા હતા. અને ગાય પાછળ દોડી અને હુમલો કરી ગાયનું મારણ કર્યું હતું. સિંહોએ કરેલા હુમલાની આ સમગ્ર ઘટના CCTVમા કેદ થઈ છે.
આ પણ વાંચો: VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ
તો વન વિભાગે પણ ઘટનાની ગંભીરતા જાણી સતર્કતા વધારી છે. મહત્વનું છે કે ખાંભા નજીક તુલસી શ્યામ રેન્જ તેમજ મિતિયાળા અભિયારણ આવેલા છે. તેથી સિંહો અવારનવાર ખોરાકની શોધમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘસી આવે છે. ત્યારે વન વિભાગ પણ આ દિશામાં સાવધાની વધુ તેજ કરે તેવી સ્થાનિકોની માગ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો