AMRELI : જાફરાબાદના મિતિયાળામા 66 કેવી સ્ટેશનમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. વિકરાળ આગના કારણે ધુમાડા પણ આકાશમાં જોવા મળ્યા હતા. આગને બુઝાવવા માટે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગના કારણે સમગ્ર જાફરાબાદ શહેર અને 15 ઉપરાંતના ગામોમાં વીજળી ગુલ થઇ છે.